મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ
SHARE
મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું ઘરેથી અપહરણ કરી જવામાં આવેલ છે.જે બાબતે ભોગ બનેલ પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે ઇસમો સામે ફરિયાદ નોંધીને અપ્હત થયેલ સગીરાને શોધવા આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીકના ધુતારી પાસે આવેલા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું તા.૪-૬ ના ૫ વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવેલ છે. જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા કરણ અશોકભાઈ સારલા અને વેરશી જીતેશભાઈ દેગામા રહે.બંને મકનસર તાલુકો જીલ્લો મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ પોકસો સહિતની કલમો હેઠળ કરણ અને વેરશી વિરુદ્ધ દાખલ કરેલ છે જેની આગળની તપાસ પીએસઆઇ એમ.આર.સિંધવ ચલાવી રહ્યા છે.
ગળેફાંસો ખાતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા પરિવારના હિતેશ બાબુભાઈ દેગામા નામના ૩૭ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાવા માટેનો પ્રયાસ કર્યો હતો અને જાણ થઈ જતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તા.૫-૬ બપોરે બે વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોય તે અંગે નોંધ કરી તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા પામેલા ઈમરાન જાફરખાન પઠાણ (૪૫) રહે.સરખેજ અમદાવાદને ઇજાઓ થઈ હોય ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.