મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત   હળવદના બુટવડા ગામે ગળાફાંસો ખાઈને પરણીતાએ કર્યો આપઘાત ટંકારાના ધૂનડા(ખા)થી રસનાળ તરફ જતાં રસ્તા ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત હળવદ પાલિકાના કર્મચારીને પાણી પ્રશ્ને ચેરમેને સ્ટીલની લાકડી વડે માર માર્યો મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત  


SHARE











મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત  

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ મચ્છુ ડેમના પાણીમાં યુવાન  ન્હાવા માટે થઈને પડ્યો હતો અને ત્યારે કોઈ કારણોસર અકસ્માતે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જ્યારે મોરબીના સનાળા રોડ પર આવેલ દુકાને વૃદ્ધ બેઠા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવી જવાના કારણે તેનું મોત નીપજયું હતું અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતો કેતનભાઇ રઘુભાઈ જોગડીયા (18) નામનો યુવાન ગઈકાલે બપોરે 2:30 વાગ્યાના અરસામાં મોરબીના મકસર ગામ પાસે આવેલ મચ્છુ ડેમમાં ભરેલા પાણીમાં ન્હાવા માટે ગયો હતો દરમિયાન ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના રવાપર ગામ નજીક ફ્લોરા 158 માં બ્લોક નંબર એ 601 ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી ખાતે રહેતા પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ બરાસરા (65) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર આવેલ મહાદેવ નમકીન છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં દુકાને બેઠા હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવવાના કારણે તાત્કાલિક તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News