મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત
SHARE
મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત
મોરબીના રંગપર બેલા ગામે રહેતા જેન્તીભાઈ મગનભાઈ કગથરા (ઉંમર ૪૦) ના ગઈકાલે રાત્રે નવ વાગ્યા આસપાસ ચાલીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે બેદરકારીપૂર્વ બાઈક ચલાવી આવતા ચાલકે જેન્તીભાઈને હડફેટે લઈ રોડ ઉપર પછાડી દીધા હતા.તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
તત્કાલ મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પણ તબિયત વધુ બગડતી જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું.રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારે જણાવ્યું કે, જેન્તીભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા.તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.તેઓ કડીયાકામની મજૂરીનું કામ કરતા હતા.ગઈકાલે તેઓ કામ પરથી પરત ઘરે આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.