મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણેય બેઠક ઉપર વિજયનો કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટની બેઠકમાં કર્યો સંકલ્પ


SHARE











મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણેય બેઠક ઉપર વિજયનો કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટની બેઠકમાં કર્યો સંકલ્પ

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટની આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટિંગ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં મોરબી જીલ્લામાં ત્રણેય બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ કોંગ્રેસના આગેવાનોએ વ્યક્ત કરેલ છે અને તેની સાથોસાથ ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે ડીજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ તમામ લોકો કે જેના કોરોના દરમિયાન અવસાન થયેલ છે તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે.

આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ શરૂ કરવામાં આવી છે ત્યારે જ વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાના કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રભારી દિનેશભાઇ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાજુભાઇ આહીર, મોરબી જિલ્લાના મહામંત્રી વિનોદભાઇ ડાભી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારી, એલ.એમ.કંઝારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ તકે ઓબીસી ડિપાર્ટમેન્ટમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને આ મીટીંગ પૂરી થયા બાદ પત્રકારો સાથે વાત કરતા પ્રભારી દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે આગામી ૨૦૨૨ ની ચૂંટણીમાં મોરબી જિલ્લાની વિધાનસભાની ૩ બેઠક પર કોંગ્રેસ વિજય મેળવે તેના માટે થઈને આગેવાનોમાં પૂરો જુસ્સો જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે તમામ આગેવાનો કામે લાગી ગયેલ છે અને જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ સુધીની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે એવો સંકલ્પ પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.






Latest News