મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં નર્મદની કેનાલમાં પડીને દિવ્યાંગ યુવાને કર્યો આપઘાત: દેવળીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત


SHARE







હળવદમાં નર્મદની કેનાલમાં પડીને દિવ્યાંગ યુવાને કર્યો આપઘાત: દેવળીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત

હળવદના ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતો યુવાન હાથે પગે દિવ્યાંગ હોવાના કારણે તેને મનોમન લાગી આવતા તે યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું જ્યારે દેવળિયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

હળવદમાં આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ઝવેરભાઈ કંઝારીયા (26) નામનો યુવાન બંને હાથે તથા પગેથી દિવ્યાંગ હોય તે બાબતનું તેને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે હળવદની મોરબી ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાનલ લીધે તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ સંદીપભાઈ ઝવેરભાઈ કંઝરિયા (21) રહે. ઉમિયા પાર્ક સોસાયટી હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પંડિતભાઈ નાયકની 15 વર્ષની દીકરી નિશાબેને કોઈ અગમ્ય કારણોસર વાડી વિસ્તારમાં ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરાનુ મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News