મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરામાં ભર શિયાળામાં ગટરના પાણી શેરી-ગલ્લીઓમાં ફરી વળ્યા: લોકોમાં ભારે રોષ


SHARE











મોરબીના મહેન્દ્રપરામાં ભર શિયાળામાં ગટરના પાણી શેરી-ગલ્લીઓમાં ફરી વળ્યા: લોકોમાં ભારે રોષ

હાલમાં શિયાળામાં મોરબીના મહેન્દ્રપરામાં ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી અને ઘરની બહાર નીકળે એટલે ગટરની ગંદકીમાથી ફરજિયાત પસાર થવું પડે છે આવી પરિસ્થિતી હોવાથી સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મુદે અનેક વખત પાલિકા કચેરીમાં રજુઆતો કરવામાં આવી છે તો પણ મોરબીનો વર્ષો જુનો આ પ્રશ્ન ઉકેવામાં આવેલ નથી જેથી અહીના લોકોની હાલત આજની તારીખે દયનીય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબી શહેરના વોર્ડ નંબર ૬ માં આવતા મહેન્દ્રપરાના લોકોએ ગત વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેના બેનરો લગાવ્યા હતા અને આ વિસ્તારનો ગટર ગંદા પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘુસી જવાનો પ્રશ્ન ઉકેલવાની માંગ કરી હતી ત્યારે ભાજપના નેતાઓ દ્વારા રાતોરાત તે વિસ્તારના લોકોની સાથે મિટિંગ કરીને આ પ્રશ્ન ઉકેવા માટેની ખાતરી આપવામાં આવી હતી જેથી લોકોએ મતદાન કર્યું હતું જો કે, અફસોસની વાતએ છે કે આજની તારીખે વરસાદ નથી તો પણ મહેન્દ્રપરામાં ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી અને ઘરની બહાર નીકળે એટલે ગટરની ગંદકીમાથી ફરજિયાત પસાર થવું પડે છે આવી પરિસ્થિતી હોવાથી સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

દરવર્ષ ચોમાસામાં વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ભરાઈ છે જેથી લોકો ચાર મહિના હેરાન થાય છે જો કે, હાલમાં શિયાળામાં પણ ગટરના પાણી ભરાઈ છે જેથી અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ પાલિકા દ્વારા લોકોની સમસ્યાને ઉકેલવામાં આવી નથી માટે લોકોને ગંદકીની વચ્ચે જ રહેવું પડે છે અને આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતા નિંભરતાની હદ વટોળી ગયેલા પાલીકા તંત્ર દ્વારા લોકોની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી માટે લોકોમાં ભારે આક્રોશ છે






Latest News