મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતી પરિણીતાને પતિએ પગાર આવે પછી વતનમાં જવાનું કહેતા કર્યો આપઘાત


SHARE











મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતી પરિણીતાને પતિએ પગાર આવે પછી વતનમાં જવાનું કહેતા કર્યો આપઘાત

મોરબી તાલુકાના ચાંચાપર ગામ પાસે આવેલ રામેશ્વરનગરમાં આવેલ કારખાનાની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી પરણીતાને વતનમાં જવું હતું અને તેના પતિએ કારખાનામાંથી પગાર આવે ત્યાર બાદ હિસાબ કરીને જવાનું કહ્યું હતું જેથી કરીને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ચાંચાપર ગામે રામેશ્વરનગરમાં આવેલ એન્ટી પોલીમર નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા નાનાલાલ ગરવાલના પત્ની ધનકીબેન (ઉંમર ૨૨) એ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં બે દીકરીઓ છે વધુમાં તપાસ કરતાં એએસઆઈ આર.બી. વ્યાસ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક મહિનાને વતનમાં જવું હતું  અને તેના પતિએ પગાર આવે પછી હિસાબ કરીને વતનમાં જવાનું કહ્યું હતું જેથી કરીને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

યુવાનનું મોત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સ્કાય ટચ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મુકેશ દેવકરણભાઈ વારવા (ઉંમર ૨૬) ને ગઈકાલે કોઈ કારણોસર ચક્કર આવ્યા હતા અને ત્યારબાદ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News