તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને મજૂરે કર્યો આપઘાત


SHARE











મોરબીના રંગપર પાસે કારખાનાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને મજૂરે કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના કારખાનામાં મજૂર ઓરડીની અંદર રહેતા યુવાને પોતાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર ન્યુ ત્રિમૂર્તિ એન્જિનિયરિંગ વર્ક નામની જગ્યામાં રહેતા અજીતભાઈ રામેશ્વરભાઈ ગીરી (ઉમર ૩૭)એ મોરબી તાલુકા પોલીસને ફોનથી જાણ કરી હતી કે તેઓના કૌટુંબિક કાકાના દિકરા મનીષકુમાર શ્રીશ્યામ નારાયણ ગીરી (ઉંમર ૨૭) રહે. રંગપર રોડ ઉપર આવેલ એપ્રીકોટ સિરામિક વાળાએ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ એમ.આર.ગામીત સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે મૃતક યુવાનના ૬ મહિના પહેલા લગ્ન થયેલા છે અને તેની પત્ની વતનમાં રહે છે અને આર્થિક મૂંઝવણના લીધે આપઘાત કર્યો હોવ તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે






Latest News