મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપના માજી પ્રમુખના નિવાસસ્થાને પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિતે મંત્રીની હાજરીમાં મહાઆરતી યોજાઇ


SHARE





મોરબી શહેર ભાજપના માજી પ્રમુખના નિવાસસ્થાને પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિતે મંત્રીની હાજરીમાં મહાઆરતી યોજાઇ

મોરબીના રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયાના નિવાસ્થાને ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે દરમિયાન ગુરુવારે દેશના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે જુદાજુદા કાર્યક્રમ યોજાયા હતા તેવી જ રીતે તેઓએ પણ રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાઆરતીનું આયોજન કર્યું હતું જેમાં મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ કોર્પોરેટર, જીગ્નેશભાઈ કૈલા, વિક્રમભાઈ ગોલતર તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ગણેશજીની આરતી, પૂજા અને દર્શનનો લાભ લીધો હતો અને ખાસ કરીને રાજ્યમંત્રી સહિતના સહુકોઈએ ગણપતિ દાદાને દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે થઈને પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ જારીયા તેમજ મોરબીના કોર્પોરેટર ભૂપતભાઇ જારીયા તથા તેઓના પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News