માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં મકરસંક્રાતિએ સલામતી રાખવા પીજીવીસીએલની અપીલ


SHARE

















મોરબીમાં મકરસંક્રાતિસલામતી રાખવા પીજીવીસીએલની અપીલ

મોરબી શહેર અને જીલ્લામાં મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરવા માટે સહુ કોઈ થનગની રહયા છે ત્યારે આ પર્વની સલામતી પૂર્વક ઉજવણી થાય તે જરૂરી છે તેમજ પતંગ ઉડાડતી વખતે કોઈ જાનહાનિ ન થાય તે માટે મોરબી પીજીવીસીએલ દ્વારા સલામતી સાથે પતંગ ઉડાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને સાથોસાથ વીજ તારથી દૂર રહેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે

મોરબી પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યુ છે કે, પતંગનો માંજો બવાવતી વખતે વિજવાહક પદાર્થ ન વાપરવા તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી અને વિજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો (જર્મન સિલ્વર પતંગ) બાળકો દ્વારા ન વાપરવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ અને બાળકો પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજ થાંભલામાં ભરાય ત્યારે તેને ખેંચે નહીં, પતંગને વીજ થાંભલા પર ચડીને ન કાઢે તેમજ લંગરીયા ન નાખે તેની તકેદારી રાખવી જોઈએ અને પતંગ ઉડાડતી વખતે બાળકો મેગ્નેટીક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ. કેમ કે મેગ્નેટીક ટેપ વીજવાહક હોવાથી વીજવાયરને અડે તો બાળકને વીજશોક લાગે અને અકસ્માત થાય તેમજ અગાશી ઉપર પતંગ ઉડાડતી વખતે નજીકમાંથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં ન આવી જવાય તેની તકેદારી રાખવા માટે અપીલ કરેલ છે અને વીજ વાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંસના બાંબુ કે લોખંડના સળીયા અથવા અન્ય કોઈપણ પ્રકારના સાધનો દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે, ચાઈનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વીજવાહક પદાર્થ વપરાયેલો હોય છે તો આવા દોરા બિલકુલ ન વપરાય તેનું ધ્યાન અને રાત્રીના અંધારામાં ફાનસ કે ગુબારો વીજવાયરોમાં ન ફસાય તેની પણ કાળજી રાખીને પર્વની ઉજવણી કરવા માટે અનુરોધ કરેલ છે 




Latest News