વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ


SHARE







મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ

મોરબીના વાલજીભાઈ ડાભી, લાલજીભાઈ ડાભી તથા હરેશભાઈ ડાભીના માતૃશ્રી સ્વ.માણેકબેન પ્રેમજીભાઈ ડાભીની શ્રધ્ધાંજલી નિમિતે અહીંના ઉમા હોલ રવાપર રોડ ખાતે ભકિતયોગ શિબિર તેમજ વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. યોગએ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ દ્વારા આપણા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા આવે છે. યોગ શિબિર દ્વારા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યુ હતુ. શિબિરમાં યોગાસન, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, બંધ, સુક્ષ્મ, વ્યાયામ તેમજ વિવિધ રોગોમાં કુદરતી ઉપચાર અને આર્યુવેદિક ઔષધિઓનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.જીવનમાં સ્વસ્થ રહેવા માટે પ્રાકૃતિક તેમજ કુદરતી ઉપચાર અને જીવન જીવવાની કળાનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.






Latest News