મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવયુગ સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવાઇ


SHARE







મોરબી જિલ્લામાં નવયુગ સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવાઇ

ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરી દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૨મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ ૨૫મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન વર્ચ્યુયલી કરવામાં આવ્યું હતું. અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને પ્રસંગોચિત સંદેશ આપ્યો હતો. આ તકે મોરબી જિલ્લામાં નવયુગ સંકુલ ખાતે જિલ્લાકક્ષા યુવા ઉત્સવના દ્વિતિય તથા તૃતીય ક્રમના વિજેતાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને ડિજીટલ માધ્યમથી નિહાળી અને ઓનલાઈન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.






Latest News