મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે


SHARE













મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે

મોરબી પાલિકાનો ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક પૂરો કરવા માટે પાલિકાની તમામ શાખાના કર્મચારીઓને આગમી સોમવારથી વેરા વસુલાતની કામગીરીમાં જોતરવામાં આવશે અને ૨૫ હજાર કરતાં વધુ જે મિલકતનો વેરો બાકી હશે તેને નોટિસ આપવા માટેની કામગીરી આ ખાસ ટીમ દ્વારા કરવામાં આવશે જેમાં મૂકવામાં આવેલા કર્મચારીઓ સવારે તેની કામગીરી કરશે અને બપોર પછી વેરા વસૂલાતની કામગીરી કરશે

દરેક નાણાકીય વર્ષનો લક્ષ્યાંક માર્ચ માસમાં પૂરો કરવાનો હોય છે અને હવે માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યાં સુધી પાલિકામાં ૨૫ ટકા જેટલી જ વસૂલાત થયેલ છે જેથી કરીને બાકી રહેલી ૭૫ ટકા વસૂલાતને રિકવર કરવા માટે પાલિકા દ્વારા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે અને આગામી સોમવારથી મોરબી પાલિકાના કર્મચારીઓની ખાસ ટીમો મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં જે આસામીનો ૨૫ હજાર કરતાં વધુ વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલવા માટેની કામગીરી કરશે અને વધુમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યુ છે કેમહાવેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને પાલિકાના હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને બાકી વેરા તાત્કાલિક ભરી વિકાસ કાર્યોમાં સહકાર આપે તે જરૂરી છે જે આસામીઓએ તેમના બાકી વેરા લાંબા સમયથી ભરેલા નથી તેના નામ સરનામા સાથે નગરપાલિકામાં નામ જોગ જાહેર સ્થળોએ નામો પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત બાકીદારોના નામોની યાદી અખબારમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે મિલકત ધારકો દ્વારા માંગણા નોટિસ આપવા છતાં વેરો ચૂકવવા દરકાર નથી લેવાતી તેના ભૂગર્ભ ગટર અને પાણી જોડાણ કાપી નાખવા સુધીના પગલાં પાલિકા દ્વારા લેવાં આવશે




Latest News