મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુલનગરમાં ભત્રીજીને માર મરનારા કાકા સામે ભાભીએ નોંધાવી ફરિયાદ


SHARE













મોરબીમાં ગોકુલનગરમાં ભત્રીજીને માર મરનારા કાકા સામે ભાભીએ નોંધાવી ફરિયાદ

મોરબીના શનાળા બાયપાસ રોડ પાસે આવેલ ગોકુલનગરમાં કાકાની સાથે રહેતી ભત્રીજીને તેના કાકા દ્વારા સામાન્ય બાબતે ઢીકાપાટુનો માર મારીને કાનમાં ઇજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભાભીએ તેના દિયરની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ભાયાણી બગસરા ગામે હુડકો કોલોનીમાં રહેતા અને હાલમાં બ્લૂ લેક કારખાનાની ઓરડીમાં રહેતા મધુબેને વિનુભાઈ વાઘેલા જાતે દેવિપુજક (ઉંમર ૩૫) એ તેના દિયર નરેશભાઈ બાબુભાઇ વાઘેલા રહે, શનાળા બાયપાસ રોડ ગોકુલનગર વાળાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની દીકરી રીંકલને તેના કાકા નરેશભાઈ વાઘેલા દ્વારા સામાન્ય બાબતે માર મારવામાં આવ્યો હતો અને ડાબા કાનમાં જા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં મધુબેનની ફરિયાદ લઈને તેના દિયર નરેશભાઈ બાબુભાઇ વાઘેલાની સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મધુબેન વાઘેલાએ બીજા લગ્ન કરી લીધેલ હોય તેના રીંકલ સહિતના સંતાનો તેના કાકા સાથે રહેતા હતા અને રીંકલને તેના કાકા નરેશભાઈ વાઘેલા માર મારતા હતા જેથી પોલીસે હાલમાં મધુબેનનીફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News