મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર ચા બનાવતા સમયે દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ


SHARE











મોરબીના નવલખી રોડ ઉપર ચા બનાવતા સમયે દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ધુતારી વિસ્તાર નજીક  રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના દયાબેન પ્રવીણભાઈ પીલુડીયા જાતે કોળી નામની ૩૫ વર્ષીય મહિલા તેઓના ઘેર લાકડાના ચુલા ઉપર ચા બનાવી રહ્યા હતા ત્યારે આગની જાળ તેઓએ પહેરેલા કપડામાં લાગી જતાં દાજી જવાથી તેઓને અહીંની આયુષ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ બન્સ વિભાગમાં હાલ એડમીટ કરવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના વશરમભાઇ મેતાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ફરીદાબેન ફિરોઝશા શાહમદાર જાતે ફકીર નામની ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા બાયપાસ ચોકડી નજીક રહેતો નીકીભાઈ રામસિંગભાઈ રાજપુત (૨૬) અને સોનુભાઈ રામનિવાસ રાજપૂત (૨૧) નામના બે યુવાનો બાઇક લઇને શનાળા-રાજકોટ હાઈવે ઉપરથી જતા હતા ત્યાં તેમના બાઇકની રિક્ષા સાથે અથડામણ થતાં બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે માળીયા મીંયાણા નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલા અકસ્માતના બનાવમાં રફિકભાઈ કરીમભાઈ કટિયા નામના ૨૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તે રીતે જ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા દેવજીભાઈ વશરામભાઈ રાઠોડ નામના ૪૦ વર્ષીય યુવાનને બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલ ખસેડાયા હોવાનું જણાવીને પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો રાજેશ રામજીભાઇ ચાવડા નામનો ૩૪ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સામેકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રાજેશભાઈ ચાવડાને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટના રહેવાસી ભુરીબેન જીવાભાઈ ટમારીયા નામના ૫૬ વર્ષીય આધેડ મહિલા મોરબીના બેલા ગામ નજીક બાઇક પાછળ બેસીને જતાં હતા તે સમયે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત ભુરીબેન ટમારીયાને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા.






Latest News