ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી


SHARE













મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી

મોરબી અને માળીયા(મિ.) તાલુકના ૫૨ ગામોમાં આજની તારીખે  સિચાઈના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને ઘણા ગામડા ખાલી થઈ ગયા છે ત્યારે મોરબીમાં રહેતા ખેડૂત આગેવાન કાંતિલાલ ડી. બાવરવાસિંચાઈના પાણીથી વંચિત મોરબી અને માળીયાના ૫૨ ગામના ખેડૂતો માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં કાંતિલાલ ડી. બાવરવાએ કહ્યું છે કે, સિંચાઈના પાણીથી વંચિત આ બંને તાલુકાના ખેડૂતો રાજકીય હાથા બની તેમજ ગમા અણગમા પડી પોતાના હિતનું રક્ષણ કરી શકતા નથી ટાટીયા ખેચમાં પડ્યા રહે છે અને ખેતી માટે સિંચાઇનું પાણી નર્મદા કે મચ્છુ બેમાંથી મળે તે જરૂરી છે જો કે, પાણી આપવામાં આવતું નથી તે હક્કિત છે ત્યારે ખેતી માટે સિંચાઈનું પાણી જોતું હશે તો કચ્છના કિસાનોએ જે એકતા બતાવી કચ્છને પીવા માટે તેમજ સિંચાઈ માટે વધારાનું પાણી નર્મદા કેનાલમાંથી મેળવવા માટે સિદ્ધાંતિક મંજૂરી સરકાર પાસેથી મેળવી છે તેવી જ રીતે મોરબી જિલ્લાના આ બે તાલુકાનાં ખેડૂતોએ એકતા સાથે લડત કરવી પડશે અત્રે ઉલેખનીય છે કે, નર્મદા કેનાલ તો મોરબી જીલ્લામાં આવેલ જ છે અને મચ્છુ-૨ ડેમ સૌની યોજનાનો મધર ડેમ છે તો પણ આ જિલ્લાના બે તાલુકામાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આવી જ રીતે મચ્છુ-૩ માંથી પણ ખેડૂતોને પાણી મળતું નથી જો ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું હશે તો ખેડૂતોની એકતા જરૂરી છે અને જો સરકાર આ બંને તાલુકાના સિંચાઇથી વંચિત ૫૨ ગામોને સિંચાઇનું પાણી આપવા માટે સિદ્ધાંતિક મંજૂરી ન આપે તો બધા ખેડૂતોએ ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ આંદોલન કરવાની જરૂર છે તો જ સરકારના કાન સુધી અહીના ખેડૂતોનો અવાજ પહોચશે અને સરકાર સામે આંદોલન કરવાની પણ કાંતિલાલ ડી. બાવરવાએ તૈયારી બતાવી છે અને ખેડૂતો પાસેથી સહકાર માંગ્યો છ






Latest News