મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી
ટંકારા વાલ્મીકી સમાજે ચુંટાયેલા સરપંચ-હોદેદારોને સન્માનીત કર્યા
SHARE
ટંકારા વાલ્મીકી સમાજે ચુંટાયેલા સરપંચ-હોદેદારોને સન્માનીત કર્યા
ટંકારા વાલ્મીકિ સમાજ દ્વારા નવા ચુંટાયેલા સરપંચ અને હોદ્દેદારોને સન્માનિત કરવા કાર્યક્રમ યોજ્યો હતો.જેમા શહેરના વિકાસ માટે તેઓ કટીબદ્ધ રહેશે તેવો હોદેદારોએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
ટંકારાના સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા નવનિયુકત સરપંચ ગોરધનભાઈ ખોખાણી ને ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાને સન્માનિત કરીને આવકારવામાં આવ્યા હતા.તદ્ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ અને જીલ્લા પંચાયતના સદસ્ય ભુપતભાઇ ગોધાણી, અરજણભાઇ ઝાપડા, સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરી ગામના વિકાસના કાર્યો કરવા ભાર મુક્યો હતો.