મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન માથે દેણું હોય અને નશાની પણ કુટેવ હોય પત્નીએ કુટેવ છોડી દેવાનું કહેતા ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં યુવાન માથે દેણું હોય અને નશાની પણ કુટેવ હોય પત્નીએ કુટેવ છોડી દેવાનું કહેતા ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

મોરબીના વાવડી રોડ ગણેશનગર વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના યુવાનને તેની પત્નીએ નશાની કુટેવ છોડી દેવાનું કહેતા તે વાતનું મનોમન લાગી આવતા યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હોવાનું સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના વાવડી રોડ જનકનગર વિસ્તારમાં રહેતા બ્રિજેશ સોરણસિંગ પ્રજાપતિ જાતે કુંભાર નામના ૩૨ વર્ષીય યુવાને આજ તા.૨૪-૧ ના મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં તેના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળતાં પોલીસે સ્થળ ઉપર જઈને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ખૂલ્યુ હતુ કે મોડી રાત્રીના કોઈ મુદદે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આવેશમાં આવી જઈને મૃતક બ્રિજેશ સોરણસિંગ પ્રજાપતિ નામના પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક બ્રીજેશ પ્રજાપતિ હાલ મોરબીમાં વાવડી રોડ ગણેશનગર વિસ્તારમાં રહીને ઘૂઘરા બનાવીને વેચવાની મજૂરીનું કામ કરતો હતો અને તેણે પોતાના વતન ઉત્તરપ્રદેશમાં કોઇ દરબાર પાસેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હોય અને તેનું દેણું બાકી હોવા છતાં મૃતકને નશાની કુટેવ હોય પત્નીએ નશો છોડીને કામ-ધંધે વળવા માટે કહ્યું હતું અને દરમિયાનમાં ગત રાત્રીના પતિ-પત્ની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો પણ થયો હતો જેને લઇને મૃતક બ્રિજેશ પ્રજાપતિએ અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજ્યું હોવાનું હાલ ખુલ્યું છે.

વાહન અકસ્માતમાં બેને ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા શામજીભાઈ સવાભાઈ ચાવડા (ઉમર ૫૦) અને રસિક વાલજીભાઈ ચાવડા (ઉમર ૨૫) નામના બે વ્યક્તિઓ ડબલ સવારીમાં ટુ-વ્હીલરમાં ધ્રોલ-જામનગર હાઈવે ઉપરથી જતા હતા ત્યારે ત્યાં ટોલનાકા પાસે તેઓના બાઈકની આડે કુતરૂ અચાનક આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજાગ્રસ્ત થયેલા શામજીભાઈ ચાવડા અને રસિકભાઈ ચાવડાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જેને પગલે તપાસ અધિકારીએ હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ભરતનગર વિસ્તારમાં રહેતા છત્ર હરેશભાઈ પિરૂવા નામના ૧૯ વર્ષીય યુવાનને તેના પિતાએ કોઈ બાબતે માર મારતા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News