મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના મેસરીયા ગામે માનસિક અસ્થિર યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીના મેસરીયા ગામે માનસિક અસ્થિર યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
 
મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેસરીયા ગામે બે દિવસ પહેલાં માનસિક અસ્થિર યુવતીએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
 
વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા મળતી વિગતો મુજબ તાલુકાના મેસરીયા ગામે રહેતી લીલીબેન ગોરધનભાઈ સાકરીયા નામની ૧૮ વર્ષીય યુવતીએ ગત તા.૨૯-૧ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને સારવાર માટે કુવાડવા ખાતેની શ્રીજી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન ગઈકાલ તા.૩૦-૧ ના સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં લીલીબેન સાકરીયાનું મોત નિપજયુ હતુ.હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતક લીલીબેન માનસિક અસ્થિર હોય અને તેને લઈને તેઓ ઉપરોકત પગલું ભરી લેતાં તેણીનું મોત નિપજ્યું હતું.
 
જુગારી પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં તીનપતી રમતા ધીરૂભાઈ જીવરાજભાઈ ઉષીણા કોળી, રમણીકભાઈ દેવશીભાઇ ઇંદરીયા કોળી, વિજયભાઈ કાળુભાઈ ઝિંઝુવાડીયા કોળી અને મેહુલભાઈ દેવજીભાઈ પરમાર જાતે કોળી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી પોકડી રૂા.૧૭૦૦ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સગીરાનું અપહરણ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદરામ કરવાના ઇરાદે તેણીનું અપહરણ કરવામાં આવ્યું છે.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષ ઉર્ફે હસમુખ ઉર્ફે હસુ રમેશભાઈ અંબાસણીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઇ બી.પી.સોનારાને સોંપવામાં આવતા તેઓએ આરોપીને પકડવા માટે અને ભોગ બનેલી સગીરને શોધી કાઢવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.




Latest News