મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ


SHARE







કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકામા કિશન ભરવાડની હત્યા કરવામાં આવી તે મુદ્દે મોરબી, વાંકાનેર અને ટંકારા શહેરની અંદર સર્વ હિંદુ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી અને આવેદનપત્ર પાઠવીને કિશનભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા કરવાની માંગ કરેલ છે તેમજ મૌલવીઓ સહિતના જે કોઈ આ હત્યાકાંડમાં સંડોવાયેલા હોય તેની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં રહેતા કિશનભાઇ ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી એને આ હત્યા કેસની અંદર આરોપીઓની ધરપકડ પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જો કે આરોપીઓને તાત્કાલિક આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતની અંદર ગામે ગામ રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી શહેરમાં વિહિપ, બજરંગ દળ, એકતા એક લક્ષ, કરણી સેના, મહાકાલ ગ્રુપ, દલવાડી કનૈયા ગૃપ, રાજપૂત સમાજ અને માલધારી સમાજ સહિતના હિન્દુ સંગઠનો તો વાંકાનેર શહેરમાં વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી તેમજ સંતો મહંતોની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી અને ટંકારામાં પણ સર્વ હિંદુ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે ખાસ કરીને સર્વ હિંદુ સમાજ દ્વારા કિશનભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેની સાથોસાથ તેઓએ હત્યાકાંડની અંદર સંડોવાયેલા દિલ્હીના મૌલવી સહિતના તમામ આરોપીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News