કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ
મોરબી જલારામ મંદિર ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE









મોરબી જલારામ મંદિર ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા.૪ ના રોજ વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ રાજકીય અગ્રણી રાજુભાઈ કાવરની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાશે અને અત્યાર સુધીના ૫ કેમ્પમા કુલ ૧૭૯૯ લોકોએ લાભ લીધો તેમજ ૮૩૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજાશે.જે અંતર્ગત તા.૪-૨ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધાવવાની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦ ૮૨૪૬૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨ ૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮ ૮૦૫૮૮), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦ ૬૦૦૬૬) નો સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત પાંચ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૭૯૯ લોકોએ લાભ લીધો હતો તેમજ ૮૩૬ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.
