ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નાગરિક સહકારી બેંકમાં ૧.૨૯ કરોડથી વધુનું ફ્રોડ !: માહિતી માંગવામાં આવતા ખળભળાટ


SHARE













મોરબી નાગરિક સહકારી બેંકમાં ૧.૨૯ કરોડથી વધુનું ફ્રોડ ! : માહિતી માંગવામાં આવતા ખળભળાટ

 

મોરબી નાગરિક સહકારી બેંકમાં ૧.૨૯ કરોડથી વધુનું ફ્રોડ કરવામાં આવ્યું હોવાની માહિતી તેઓને મળેલ છે જેના આધારે તેઓએ બેન્કના મેનેજર પાસેથી કેટલીક માહિતી માંગી છે અને જો આ માહિતી સામ્ય મર્યાદામાં નહિ આપવામાં આવે તો કોર્ટ મારફતે તે માહિતી માંગવામાં આવશે તેવી પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે.


મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી અને મોરબી નાગરિક સહકારી બેંકના સભાસદ  કાંતિલાલ ધરમશીભાઈ બાવરવાએ મોરબી નાગરિક સહકારી બેંકના  મેનેજેરને લેખિત રજૂઆત કરીને મોરબી નાગરિક સહકારી બેંક લી દ્વરા કરાયેલ ગવર્મેન્ટ  સિક્યોરીટી રોકાણ બાબતે માહિતી માંગવામાં આવી છે જેમ ગવર્મેન્ટ સિક્યોરીટીમાં બેંક તરફથી સીન્ડીકેટ મેનેજમેન્ટ પ્રા.લી.માં ૧,૨૯,૧૮,૧૨૨-૨૨ નું કરેલ રોકાણ બાબતે બેંક દ્વારા બોલાવાયેલ બોર્ડની મિટિંગ ક્યારે અને કઈ તારીખે મળેલ હતી. અને આ રોકાણ કરવા બાબતે કરવામાં આવેલ ઠરાવની નકલ  તેમજ તેમાં હાજર રહેલ બોર્ડ ઓફ ડીરેક્ટરના નામ સરનામાં અને સિક્યોરીટી મુકવા બાબતે કોણે કોણે સંમતી આપેલ હતી?, સિક્યોરીટી રોકાણ બાબતે લેવામાં આવેલ લીગલ સલાહ અને સલાહ આપનાર બેંકના ઓથોરાઈઝ લીગલ ઓફિસરનું નામ અને સરનામું માંગ્યું છે.

વધુમાં તેમણે જનવ્યું છે કેઆ રકમનું ફ્રોડ થવા પામેલ છે. તો આ ફ્રોડ થયાનું બેંકના જવાબદાર લોકોના ધ્યાને કયારે આવ્યું, અને ત્યારે બાદ તેના માટે શું? કાર્યવાહી કરી. તેના માટે કોણ કોણ જવાબદાર હતા?, આ ફોર્ડ પછી લીગલ કાર્યવાહી કરવા માટે ક્યાં લીગલ એડવોકેટની નિમણુક કરવામાં આવી ?, કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટ કેશ કઈ મોરબીની કોર્ટમાં કે હાઇકોર્ટમાં કઈ તારીખે અને ક્યાં નંબરથી દાખલ કરવામાં આવેલ છે ?, સહકારી ખાતા તરફથી કોઈ એક્શન લેવાયેલ હોયઅગર લીગલ નોટીશ આપવામાં આવેલ હોય તો તેની નકલો અને આ ફોર્ડના કારણે બેંકને ગયેલ નુકશાન હાલ સુધીમાં વ્યાજની રકમ સાથે કેટલી રકમનું નુકશાન થયું છે તેની માહિતી માંગવામાં આવી છે અને જો માહિતી સમય મર્યાદામાં નહિ આપવામાં આવે તો ના છૂટકે નામદાર કોર્ટનો સહારો લઈને તે માંગવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News