મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં બિલિયા ગામે મંદિર-ઓદ્યોગીક એકમોમાં તસ્કરોના ધામા ! : પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ


SHARE







મોરબીમાં બિલિયા ગામે મંદિર-ઓદ્યોગીક એકમોમાં તસ્કરોના ધામા ! : પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ

મોરબી તાલુકા જુદાજુદા વિસ્તારોમાં પોલીસ નહીં પરંતુ તસ્કરો નાઈટ પેટ્રોલીંગ કરતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને બિલિયા ગામે આવેલ મંદિર તેમજ અન્ય ઓદ્યોગીક એકમોમાંથી નાના મોટી ચોરીઓ કરવામાં આવેલ છે અને બીલેશ્વર મહાદેવ મંદિર સહિત જુદીજુદી જગ્યાએથી એક્દ લાખની કિંમતના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી બિલિયાના સરપંચે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરેલ છે અને નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ કરેલ છે.

મોરબીના બીલીયા ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ હાલમાં મોરબી તાલુકા પોલીસમાં લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે બીલિયા-બગથળા રોડ પર એક નહીં પરંતુ પાંચેક કંપનીમાં ચોરીનો પ્રયાસ થયો છે જેની પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તેમજ બીલીયા પાસે આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં પણ ચોરી કરવામાં આવી છે અને મંદિરમાંથી શિવજીના લિંગ પરનું ચાંદીનું છતર, ચાંદીના નાગદેવતા, ચાંદીનું લિંગ ઉપરનું મહોર વગેરે કુલ મળીને એકદા લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે અને લગભગ 45 હજારની કિંમતનું ચાંદીનું મહોરું ખેતરમાં મૂકીને તસ્કરો નાશી ગયા છે આમ ચોરીના બનાવો વધી રહ્યા છે માટે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેના માટેની તેઓએ માંગ કરેલ છે






Latest News