મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો


SHARE













મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં વહેલી સવારે મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જવાથી ચાર વર્ષીય બાળકને મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના સિરામીક યુનીટમાં વહેલી સવારના ચારેક વાગ્યે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જતાં સંજય અમૃતભાઈ નિરવા નામના ચાર વર્ષીય બાળકને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે બાળક સંજય નિરવા વધુ ઈજાગ્રસ્ત હોવાના લીધે તેને રાજકોટથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે. હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

માર મારતા સારવારમાં

મોરબી-બગથળા વચ્ચેના રસ્તેથી રીક્ષામાં જતા મહેશ વાઘજી મગવાનીયા કોળી (૨૭), નિલેશ રમણ બારૈયા કોળી (૨૧), સંજય ધનજી બાવરવા કોળી (૨૬) અને દિનેશ ફતેસિંહ બારૈયા કોળી (૨૯) રહે.ચારેય મોડપર વાળાઓને મોડીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બગથળા નજીક પોલીસ જેવા માણસોએ માર મારતાં ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.ખડિયાએ તપાસ હાથ ધરી છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર મદીના સોસાયટી વીશીપરા વિસ્તારમાં રહેતા વિલાસબેન વિજયભાઈ મકવાણા નામની ૩૯ વર્ષીય મહિલા મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસેના હિના પેટ્રોલ પંપ નજીક એકટીવામાં બેસીને જતા હતા ત્યારે એકટીવાનું ટાયર ફાટતાં થયેલ અકસ્માત બનાવવામાં ઈજા થતાં વિલાસબેન મકવાણાને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના લાલપર ગામનો રહેવાસી મન રાજેશભાઈ કડીવાર નામનો ૯ વર્ષીય બાળક મોરબીના આલાપપાર્ક સોસાયટીના ગેઇટ નજીકથી સાયકલ લઈને જતો હતો ત્યારે તે પડી જતાં ઇજાઓ થવાથી મન કડીવારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.




Latest News