મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો


SHARE











મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં વહેલી સવારે મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જવાથી ચાર વર્ષીય બાળકને મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના સિરામીક યુનીટમાં વહેલી સવારના ચારેક વાગ્યે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જતાં સંજય અમૃતભાઈ નિરવા નામના ચાર વર્ષીય બાળકને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે બાળક સંજય નિરવા વધુ ઈજાગ્રસ્ત હોવાના લીધે તેને રાજકોટથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે. હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

માર મારતા સારવારમાં

મોરબી-બગથળા વચ્ચેના રસ્તેથી રીક્ષામાં જતા મહેશ વાઘજી મગવાનીયા કોળી (૨૭), નિલેશ રમણ બારૈયા કોળી (૨૧), સંજય ધનજી બાવરવા કોળી (૨૬) અને દિનેશ ફતેસિંહ બારૈયા કોળી (૨૯) રહે.ચારેય મોડપર વાળાઓને મોડીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બગથળા નજીક પોલીસ જેવા માણસોએ માર મારતાં ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.ખડિયાએ તપાસ હાથ ધરી છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર મદીના સોસાયટી વીશીપરા વિસ્તારમાં રહેતા વિલાસબેન વિજયભાઈ મકવાણા નામની ૩૯ વર્ષીય મહિલા મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસેના હિના પેટ્રોલ પંપ નજીક એકટીવામાં બેસીને જતા હતા ત્યારે એકટીવાનું ટાયર ફાટતાં થયેલ અકસ્માત બનાવવામાં ઈજા થતાં વિલાસબેન મકવાણાને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના લાલપર ગામનો રહેવાસી મન રાજેશભાઈ કડીવાર નામનો ૯ વર્ષીય બાળક મોરબીના આલાપપાર્ક સોસાયટીના ગેઇટ નજીકથી સાયકલ લઈને જતો હતો ત્યારે તે પડી જતાં ઇજાઓ થવાથી મન કડીવારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News