મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૨૧.૬૧ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનશે: બ્રિજેશ મેરજા


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૨૧.૬૧ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનશે: બ્રિજેશ મેરજા

 મોરબી વિસ્તારના વારંવારના પ્રવાસ દરમ્યાન સ્થાનિક શહેરીજનો અને પદાધિકારીઓ તેમજ લોક પ્રતિનિધિઓ દ્વારા લાગણી સહ કરવામાં આવતી રજુઆત મુજબ મોરબી શહેરના હાર્દસમા મહેન્દ્રનગર ચોકડી પર ફલાય ઓવર બ્રીજ બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને ૧૯,૩૭,૪૬,૧૮૨ ના ખર્ચે ફલાય ઓવર બ્રીજ મંજુર થયેલ છે તેના વધુ મજબુતીકરણ સાથે સારી કામગીરી થઇ શકે તે માટે વધારાના અંદાજે ૨,૨૩,૫૭,૬૩૯ મંજુર કરાવીને હવે કુલ ૨૧,૬૧,૦૩,૮૨૨ ના ખર્ચે આ ફલાય ઓવર બ્રીજની સત્વરે કામગીરી હાથ ધરાશે

મોરબી-માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજયના પંચાયતશ્રમકૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો)ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે અનેકવાર સમયાંતરે મિટિંગો કરીને તથા અવારનવાર ટેલિફોનિક ફલોઅપ લઇને આ ફલાય ઓવર બ્રીજનું કામ મંજુર કરાવેલ છે. એટલુ જ નહિ પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવીને વહેલામાં વહેલી તકે અંદાજે રૂપિયા ૨૧.૬૧ કરોડના ખર્ચે આ કામ ચાલુ કરવામાં આવશે. મોરબી શહેરીજનોની વર્ષો થયા ટ્રાફિકની સમસ્યા નિવારવા અંગેની લાગણી સહ માંગણીનો અંત આવશે. પરિણામ સ્વરૂપ લોકોમાં હર્ષની લાગણી જોવા મળી.

બાળ પ્રતિભાશોધ સ્પર્ધા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીમોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન તા.૦૯/૦૨ ના રોજ મહંમદી લોકશાળાચંદ્રપુર તાલુકો વાંકાનેર ખાતે સવારે ૮:૩૦ વાગ્યે રાખેલ છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક ૭ થી ૧૩ વર્ષના બાળકો બે વય જૂથ ૭ થી ૧૦ વર્ષ “” વિભાગ તથા ૧૧ થી ૧૩ વર્ષના “” વિભાગમાં અને  ૭ થી ૧૩ વર્ષના ખુલ્લા વિભાગમાં ભાગ લઈ શકશે. ચિત્ર સ્પર્ધા અગાઉ યોજાઈ ગયેલ હોયચિત્ર સ્પર્ધા બાકાત કરી અન્ય તમામ સ્પર્ધાનો સમાવેશ થશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારીબી.એસ.નાકીયા મો.૯૭૧૪૯૦૪૬૬૯ પર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News