મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ટીપીઇઓ આચાર્યો- શિક્ષકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ


SHARE











વાંકાનેરના ટીપીઇઓ આચાર્યો- શિક્ષકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ

વાંકાનેર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકોને આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે તેવી માહિતી સામે આવી રહી છે અને શાળાઓની મુલાકાત લઈ અવનવી ૬૦ સાંઈઠ પ્રકારની કવેરી કાઢવામાં આવેલ હતી જેનો જવાબ શિક્ષકોએ રૂબરૂ તાલુકા પંચાયતે આવીને ટીપીઈઓને જ કરવો, અન્ય કોઈને જાણ ન કરવી આવી ગર્ભિત ધમકીઓથી શિક્ષકો ખુબજ માનસિક ત્રાસ અને ટેંશન અનુભવે છે.

 ઉચ્ચતર પ્રાથમિક ધોરણની દરખાસ્તો અગાઉના વખતમાં તાલુકા પંચાયતમાં રજૂ કરતા હતા એવા જ પત્રકોમાં કરેલ હોવા છતાં શિક્ષકોને નોટિસો આપી અને જવાબ રૂબરૂ આપવાની કડક સૂચનાઓ આપી હતી. આવી માહિતી કેવી રીતે આપવી? ક્યાં ફોર્મેટમાં આપવી? એની સમજ આપ્યા વગર શિક્ષકો જાણે ગુનેગાર હોય એવું ટીપીઈઓ દ્વારા વર્તન કરવામાં આવે છે. અને હમણાં ટીપીઈઓ તમામ શાળામાંથી છેલ્લા પાંચ વર્ષના શિક્ષકોના હાજરી પત્રક મંગાવી, શિક્ષકોને ડરાવવાનું અને ધમકાવવાનું કાર્ય શરૂ કર્યું છે. શું શિક્ષકોને આવી રીતે હેરાન પરેશાન કરી શિક્ષણ સુધરશે? કે પછી આવી રીતે શિક્ષકોને ડરાવી પોતાનું કામ કઢાવી લેવાની મેલી મુરાદ હોય એવું જણાય આવે છે

આ બાબતે ટીપીઈઓને શિક્ષકોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા અટકાવવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વાંકાનેરને શિક્ષકોનું પ્રતિનિધિ મંડળ બે વખત મળીને રજુઆત કરી હતી છતાં તેઓ સમજ્યા નહિ અને શાળાની મુલાકાત લેવાનો સિલસિલો અને શિક્ષકોને ધમકાવવાનું કામ ચાલુ જ રાખેલ છે સામાન્ય રીતે ઉચ્ચત્તર પગાર ધોરણોની કોઈ કવેરી હોય તો પે સેન્ટરના આચાર્ય મારફત પ્રકરણ પરત કરી પુરતતા કરવાની હોય છે પરંતુ ટીપીઈઓ શિક્ષકોને રૂબરૂ તાલુકા પંચાયતે શાળામાં રજા મૂકીને બોલાવે છે અને મળતી માહિતી મુજબ ટીપીઈઓ જ્યારે વાંકાનેર ફરજ પર હાજર થયા ત્યારે એમને મ્યુકર માઈકોસીસ થયું હોય હોસ્પિટલમાં દાખલ હોવા છતાં, ઘરે આરામમાં હોવા છતાં કાગળ પર ફરજ પર હાજર થયેલ છે. આવી બધી બાબતોથી શિક્ષકોમાં ખુબજ રોષની લાગણી ફેલાયેલ છે 






Latest News