મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૫ ના રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે


SHARE











મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૫ ના રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

માર્કેટીંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભખંડમાં બેઠક યોજાઇ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલ બેઠકમાં નક્કિ થયા અનુસાર મોરબી જિલ્લામાં આગામી તા.૨૫ મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિત ગરીબ કલ્યાણ મેળો યોજાશે.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં કરોડો રૂપિયાના ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ, સરકારની વિવિધ યોજનાના લાભો, કીટ અને સહાય વિતરણ પણ કરવામાં આવશે.કાર્યક્રમના આયોજન અંગેની પ્રથમ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળાનુ સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભ મળે તે માટે પોર્ટલ ઉપર સમયસર ડેટા એંટ્રી કરાવવી. કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સુચનો કર્યા હતા.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, ડીઆરડીએ નિયામક નીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, વાકાંનેર પ્રાંત અધિકારી એ.એચ.સેરશીયા, માર્ગ મકાનના કા.પા.ઇ. કે.એન. ઝાલા, જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી.ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ચૌહાણ, જિલ્લાના સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News