મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૫ ના રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે


SHARE













મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૫ ના રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

માર્કેટીંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભખંડમાં બેઠક યોજાઇ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલ બેઠકમાં નક્કિ થયા અનુસાર મોરબી જિલ્લામાં આગામી તા.૨૫ મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિત ગરીબ કલ્યાણ મેળો યોજાશે.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં કરોડો રૂપિયાના ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ, સરકારની વિવિધ યોજનાના લાભો, કીટ અને સહાય વિતરણ પણ કરવામાં આવશે.કાર્યક્રમના આયોજન અંગેની પ્રથમ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળાનુ સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભ મળે તે માટે પોર્ટલ ઉપર સમયસર ડેટા એંટ્રી કરાવવી. કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સુચનો કર્યા હતા.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, ડીઆરડીએ નિયામક નીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, વાકાંનેર પ્રાંત અધિકારી એ.એચ.સેરશીયા, માર્ગ મકાનના કા.પા.ઇ. કે.એન. ઝાલા, જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી.ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ચૌહાણ, જિલ્લાના સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News