મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો
મોરબીના લાતી પ્લોટમાં બંધ કોમ્પ્લેક્સની છત ઉપરથી ૧૭ બોટલ દારૂ પકડાયો, એકની શોધખોળ
SHARE









મોરબીના લાતી પ્લોટમાં બંધ કોમ્પ્લેક્સની છત ઉપરથી ૧૭ બોટલ દારૂ પકડાયો, એકની શોધખોળ
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ બંધ કોમ્પલેસની છત ઉપર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી પોલીસને ૧૭ બોટલ દારૂ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરીને લોહાણા શખ્સનું નામ ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે.મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૮ નજીક આવેલ લુક્કસ ફર્નિચરની બાજુના બંધ કોમ્પ્લેક્સની છત ઉપર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે બંધ કોમ્પ્લેક્સની છત ઉપરથી પોલીસને વિદેશી દારૂની ૧૭ બોટલ મળી આવી હતી જેથી કરીને રૂપિયા ૫૧૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમાં વિરલ જગદીશ લોહાણા રહે.ગ્રીનચોક વિસ્તાર મોરબી વાળાનું નામ ખુલ્યુ હોય હાલ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.
યુવતી રાજકોટ ખસેડાઇ
મોરબી તાલુકાના ગુંગણ ગામે ત્રણેક દિવસ પહેલા ઝેરી દવા પી ગયેલી યુવતીને ઝેરી અસર થતા ઉલ્ટી બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેણીને મોરબીની હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ગુંગણ ગામે રહેતા અને મૂળ દહીંસરાના રહેવાસી પરિવારની આરતીબેન દિનેશભાઈ બોઘાભાઈ સાંતોલા નામની ૧૬ વર્ષીય યુવતી ગત તા.૫ ને શનિવારના રોજ ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને ઊલટીઓ થતા ગઇકાલે સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી ત્યાં તેને બેભાન હાલતમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કાંતિભાઈ વશરામભાઈ સારસાવાડીયા નામના ૪૨ વર્ષીય યુવાન ઇકો કારમાં જતો હતો ત્યારે રાજકોટ-જામનગર હાઇવે ઉપર તેમની ઇકો કારનું ટાયર ફાટી જતાં વાહન પલ્ટી મારી ગયું હતું જે બનાવમાં ડાબા હાથના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં કાંતિભાઈ સરસાવાડીયાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
