મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ-વેવાઈ સામે ગુનો નોંધાયો


SHARE











હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ-વેવાઈ સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના મયૂરનગર ગામે પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ હાલમાં તેના જમાઈ અને વેવાઈ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મયૂરનગર ગામે ગત તા. ૭/૨ રોજ સરોજબેન નિકુલભાઇ નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ જે તે સમયે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે હાલમાં મૃતક પરિણીતાના પિતા માવજીભાઈ મૂળજીભાઈ જાદવ જાતે દલવાડી (ઉંમર ૫૮) રહે નવા વેગડવાવ વાળાએ તેના જમાઈ નિકુલભાઇ હીરજીભાઈ, તેમની દિકરીના સાસુ વસંતાબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે તેની દીકરી સાથે તેના પતિ અને સાસરિયા દ્વારા અવારનવાર ઝઘડા કરીને ગાળો આપવામાં આવતી હતી અને મેણાંટોણાં મારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેની દીકરીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી હાલમાં પોલીસે મૃતક પરિણીતાના પિતાની ફરિયાદ લઈને તેના જમાઈ અને વેવાઈની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News