માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે આંચકીની બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત


SHARE

















મોરબીના ખાનપર ગામે આંચકીની બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના ખાનપર ગામે યુવાને પોતાના પડતર ઘરની અંદર ગળાફાંસો ખાઇને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કન્યા છાત્રાલય પાછળ પુનિત નગર દર્શન બંગ્લોઝમાં રહેતા મૂળ ખાનપરના રહેવાસી પાર્થભાઈ વસંતભાઈ અમૃતિયા જાતે પટેલ (૨૩)એ ખાનપર ગામે પોતાના પડતર ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેની બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની યોગેશ ભીમજીભાઇ અમૃતિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી માટે પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ એએ.બી.વ્યાસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર પાર્થને વર્ષ ૨૦૧૩ થી આંચકીની બીમારી હતી અને જુદા જુદા ડોક્ટર પાસેથી તેની સારવાર કરાવી હતી તેમ છતાં પણ તેને કોઈ ફરક પડતો ન હતો અને આ બીમારીથી કંટાળીને તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોય તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે.




Latest News