મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં.૫ ની ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરીમાં ગંદકીના રાફડા કયારે દુર કરાશે..?


SHARE







મોરબીના વોર્ડ નં.૫ ની ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરીમાં ગંદકીના રાફડા કયારે દુર કરાશે..?

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજયમંત્રી તેમજ મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાને લેખીત રજૂઆત કરીને અરજ કરેલ છેકે મોરબી નગરપાલીકાના વોર્ડ નં.૫ જેમાં આવેલ ગૌરાંગ શેરી, પારેખ શેરી, પખાલી શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરી વિગેરેનો સમાવેશ થાય છે તેમાં ગંદકીના રાફડા ફાટેલ છે.છેલ્લા એક માસથી નિયમીત સાફ સફાઇ થતી નથી અને ગંદકીના ઢેર થઇ ગયેલ છે અને ગટરોમાંથી હવે જીવાત ઉભરાઇ રહી છે.

ઉપરોકત બાબત અંગે અનેકવાર કાઉન્સીલરોને રજુઆત કરેલ છે છતાં આ અંગે કોઇ પણ પગલા લેવામાં આવતા નથી.તે ઉપરાંત રજૂઆતમાં જણાવાયુ હતુ કે આ વિસ્તારના તમામ કાઉન્સીલર નિષ્ફળ ગણાય એટલે કે નગરપાલીકામા હાલ સતા ઉપર કાઉન્સીલરો ભાજપના જ છે પરંતુ આ કાઉન્સીલરો જવાબ આપતા નથી જયારે મત જોઇતા હોય ત્યારે 'ભાઇ સાહેબ ભાઇ સાહેબ' કરે છે પરંતુ જયારે આવું સાફ સફાઇ કે અન્ય પ્રજાના હિતના કામ હોય ત્યારે 'હું કોણ અને તું કોણ..?' જેવી નીતી આવા કાઉન્સીલરોની નજરે પડે છે.હાલ મોરબીમાં કોરાનોની સ્થિતિ વકરી રહી છે અને જયારે ગંદકીનો રાફડો ફાટેલ છે ત્યારે સાફ સફાઇ કરાવવાને બદલે આ વોર્ડ નં.૫ ના ચારેય કાઉન્સીલરો મોઢા ફેરવી લેતા નજરે પડે છે.

તે ઉપરાંત આ વોર્ડ નંબર ૫ ની ભુગર્ભ ગટર તથા અન્ય ગલીઓમાં પણ નિયમીતપણે સફાઇ થવી જોઇએ.ગોરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણી શેરી, કંસારા શેરી એવી અનેક શેરીઓમાં સફાઇ થતી જ નથી અને નગરપાલીકાના નામે મસમોટો ટેકસ ઉધરાવે છે તો આ સફાઇમાં કેમ કોઇ ઘ્યાન અપાતુ નથી ? આ અંગે ઉચ્ચ સ્તરે યોગ્ય રજુઆત કરવામાં આવશે તેવી સામાજીક કાર્યકરો તથા વોર્ડ નંબર ૫ ના મતદાર ભાઇઓ-બહેનોની માંગ અને રજુઆત છે. ઉપરોકત બાબતે સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે પાલીકાએ કરવાની થતી રોજીંદી કામગીરી માટે પણ રજૂઆત કરવી પડે..?! તે બદલ આશ્ચર્ય વ્યકત કર્યુ હતુ.






Latest News