વાંકાનેરના સીંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ
SHARE
વાંકાનેરના સીંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ
રાજકોટ-સુરેન્દ્રનગર લાઇનના ડબલીકરણને લઈને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સીંધાવદર અને કણકોટ વચ્ચે આવેલ રેલ્વે ફાટક નંબર ૧૦૧ ને કાયમી ધોરણે બંધ કરવામાં આવી રહ્યુ હોવાનું રેલ્વે વિભાગ દ્વારા જણાવવામાં આવેલ.
વધુમાં રેલ્વે વિભાગે યાદીમાં જણાવ્યું છે કે આગામી ૨૫ મી ફેબ્રુઆરીથી આ સીંધાવદર અને કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક નંબર ૧૦૧ ને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવતા સીંધાવદર અને કણકોટ વચ્ચેના રેલ્વે ફાટક નંબર ૧૦૧ કે જે સિંધાવદર તા.વાકાનેર જી.મોરબી ખાતે આવેલું છે ત્યાં મોરબી-સુરેન્દ્રનગર-રાજકોટ લાઈનના ડબલીકરણને લઈને આગામી ૨૫ ફેબ્રુઆરીથી કાયમ માટે આ ફાટક બંધ કરવામાં આવશે નવા બનેલ અંડરબ્રિજમાંથી એટલે કે સીંધાવદર સ્ટેશન પાસેથી રોડ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે તેમ રેલ્વે વિભાગ દ્વારા યાદીમાં જણાવાયેલ છે.