મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના સીંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ


SHARE







વાંકાનેરના સીંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ

રાજકોટ-સુરેન્દ્રનગર લાઇનના ડબલીકરણને લઈને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સીંધાવદર અને કણકોટ વચ્ચે આવેલ રેલ્વે ફાટક નંબર ૧૦૧ ને કાયમી ધોરણે બંધ કરવામાં આવી રહ્યુ હોવાનું રેલ્વે વિભાગ દ્વારા જણાવવામાં આવેલ.

વધુમાં રેલ્વે વિભાગે યાદીમાં જણાવ્યું છે કે આગામી ૨૫ મી ફેબ્રુઆરીથી આ સીંધાવદર અને કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક નંબર ૧૦૧ ને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવતા સીંધાવદર અને કણકોટ વચ્ચેના રેલ્વે ફાટક નંબર ૧૦૧ કે જે સિંધાવદર તા.વાકાનેર જી.મોરબી ખાતે આવેલું છે ત્યાં મોરબી-સુરેન્દ્રનગર-રાજકોટ લાઈનના ડબલીકરણને લઈને આગામી ૨૫ ફેબ્રુઆરીથી કાયમ માટે આ ફાટક બંધ કરવામાં આવશે નવા બનેલ અંડરબ્રિજમાંથી એટલે કે સીંધાવદર સ્ટેશન પાસેથી રોડ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે તેમ રેલ્વે વિભાગ દ્વારા યાદીમાં જણાવાયેલ છે.






Latest News