મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં.૫ ની ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરીમાં ગંદકીના રાફડા કયારે દુર કરાશે..?


SHARE













મોરબીના વોર્ડ નં.૫ ની ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરીમાં ગંદકીના રાફડા કયારે દુર કરાશે..?

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજયમંત્રી તેમજ મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાને લેખીત રજૂઆત કરીને અરજ કરેલ છેકે મોરબી નગરપાલીકાના વોર્ડ નં.૫ જેમાં આવેલ ગૌરાંગ શેરી, પારેખ શેરી, પખાલી શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરી વિગેરેનો સમાવેશ થાય છે તેમાં ગંદકીના રાફડા ફાટેલ છે.છેલ્લા એક માસથી નિયમીત સાફ સફાઇ થતી નથી અને ગંદકીના ઢેર થઇ ગયેલ છે અને ગટરોમાંથી હવે જીવાત ઉભરાઇ રહી છે.

ઉપરોકત બાબત અંગે અનેકવાર કાઉન્સીલરોને રજુઆત કરેલ છે છતાં આ અંગે કોઇ પણ પગલા લેવામાં આવતા નથી.તે ઉપરાંત રજૂઆતમાં જણાવાયુ હતુ કે આ વિસ્તારના તમામ કાઉન્સીલર નિષ્ફળ ગણાય એટલે કે નગરપાલીકામા હાલ સતા ઉપર કાઉન્સીલરો ભાજપના જ છે પરંતુ આ કાઉન્સીલરો જવાબ આપતા નથી જયારે મત જોઇતા હોય ત્યારે 'ભાઇ સાહેબ ભાઇ સાહેબ' કરે છે પરંતુ જયારે આવું સાફ સફાઇ કે અન્ય પ્રજાના હિતના કામ હોય ત્યારે 'હું કોણ અને તું કોણ..?' જેવી નીતી આવા કાઉન્સીલરોની નજરે પડે છે.હાલ મોરબીમાં કોરાનોની સ્થિતિ વકરી રહી છે અને જયારે ગંદકીનો રાફડો ફાટેલ છે ત્યારે સાફ સફાઇ કરાવવાને બદલે આ વોર્ડ નં.૫ ના ચારેય કાઉન્સીલરો મોઢા ફેરવી લેતા નજરે પડે છે.

તે ઉપરાંત આ વોર્ડ નંબર ૫ ની ભુગર્ભ ગટર તથા અન્ય ગલીઓમાં પણ નિયમીતપણે સફાઇ થવી જોઇએ.ગોરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણી શેરી, કંસારા શેરી એવી અનેક શેરીઓમાં સફાઇ થતી જ નથી અને નગરપાલીકાના નામે મસમોટો ટેકસ ઉધરાવે છે તો આ સફાઇમાં કેમ કોઇ ઘ્યાન અપાતુ નથી ? આ અંગે ઉચ્ચ સ્તરે યોગ્ય રજુઆત કરવામાં આવશે તેવી સામાજીક કાર્યકરો તથા વોર્ડ નંબર ૫ ના મતદાર ભાઇઓ-બહેનોની માંગ અને રજુઆત છે. ઉપરોકત બાબતે સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે પાલીકાએ કરવાની થતી રોજીંદી કામગીરી માટે પણ રજૂઆત કરવી પડે..?! તે બદલ આશ્ચર્ય વ્યકત કર્યુ હતુ.






Latest News