મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના બેલા-તળાવીયા સનાળા- નીચીમાંડલ જોડતો રોડ પોહળો અને સારો બનાવવા માગ


SHARE







મોરબીના બેલા-તળાવીયા સનાળા- નીચીમાંડલ જોડતો રોડ પોહળો અને સારો બનાવવા માગ
 
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી જણાવેલ છેકે,મોરબી જીલ્લામાં ખુબજ ઉદ્યોગિક વિકાસ થયેલ છે.પરંતુ રોડ-રસ્તા, પાણી વગેરેની સુવિધા જેવી મળવી જોઈએ તે મળતી નથી.હાલમાં મોરબી-જેતપર રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે.જેને ફોરલેનમાં ફેરવવાના કામને મંજુરી મળી ગયેલ છે.પરંતુ કામ ચાલુ ક્યારે થશે અને ક્યારે પૂરું થશે તે કહી શકાય તેમ નથી.મોરબી રાજકોટના ફોરલેનના કામની જેમ આ કામ પણ ગોકળગાયની ગતિ કરતા પણ ધીમું ન થાય તે જોવા ટકોર કરી છે. તેવી જ રીતે હળવદ-મોરબી રોડનું પણ તાત્કાલિક કામ ચાલુ કરાવવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે. 
 
તદ ઉપરાંત મોરબી જેતપર રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહેશે અને તે મોટા ભાગનો ટ્રાફિક હળવદ રોડ પરથી આવતો હોય છે અને હળવદ રોડ તરફ જતો હોય છે.તો જો આ ટ્રાફિકને થોડો હળવો કરવા માટે બેલા-તળાવીયા શનાળા-નીચી માંડલને જોડતા રોડને ડબલ લેન કરીને મોટો અને મજબુત કરવામાં આવે તો આ ટ્રાફિક હળવો થાય તેમ છે.માટે બહોળા લોકોના હિતમાં માંગણી કરાયેલ છે કે આ રોડને તાત્કાલિક મંજુર કરીને બનાવવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે.આ રોડને તાત્કાલિક મંજુર કરીને નવો બનાવવાનું કામ ચાલું કારવામાં આવે તેવા આદેશો કરવા માંગ કરાયેલ છે.આમ કરવાથી એકી સાથે અનેક ફાયદાઓ થશે એક તો ટ્રાફિક પણ વહેંચાય જવાથી હળવો થશે અને લોકોના મોંઘાદાટ ભાવના પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે તેમજ સોનાથી પણ કિંમતી એવો લોકોનો સમય પણ બચશે.અકસ્માતો પણ ઘટશે અને મહામુલી માનવ જીંદગીઓની થતી જાન હાની ટાળી શકાશે.માટે આ બાબતે હકારાત્મક રીતે વિચારીને વહેલાસર યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કે.ડી.બાવરવા દ્રારા કરવામાં આવેલ છે.





Latest News