હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિચરતી વિમુખ જાતિના ૩૦૦ પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની કરાઇ ફાળવણી


SHARE













મોરબી જિલ્લામાં વિચરતી વિમુખ જાતિના ૩૦૦ પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની કરાઇ ફાળવણી

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં રહેતા વિચરતી વિમુ જાતિના લોકોને સ્થાયી જીવન જીવતા નથી માટે તેઓને સ્થાયી જીવન માટે સરકારની યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં તે લોકો પોતાના પ્લોટ ઉપર સરકારી યોજના હેઠળ બાંધકામ કરી શકે તેની પણ વ્યવસ્થા તેઓની સંસ્થા અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે

સમગ્ર રાજ્યભરની અંદર વિચારતી વિમુ જાતિના લોકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે અને જ્યાં તેઓને રોજગાર મળે તે જગ્યા ઉપર તેવો સ્થાયી થાય છે પરંતુ આ પરિવારો પણ એક ચોક્કસ જગ્યાએ સ્થાયી જીવન જીવે તે માટે તેને સરકાર દ્વારા આ પરિવારોને પ્લોટની ફાળવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જિલ્લાની અંદર પણ વિચારતી વિમુજાતિના લોકોને પ્લોટની ફાળવણી કરવા માટે થઈને છેલ્લા ઘણા સમયથી વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા રજુઆત અને માગણી કરવામાં આવી રહી હતી જેને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને ૩૦૦ જેટલા પરિવારોને સરકારી યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે સરકારી ખરાબાની જગ્યામાં મળીને ૧૨૪ જેટલા વિચરતી વિમુજાતિના પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારની યોજનાનો લાભ લઈને તે લોકો પોતાના પ્લોટ પર મકાનનું બાંધકામ કરી શકે તેવી વ્યવસ્થા પણ સરકારી અધિકારી અને વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા કરવામાં આવશે






Latest News