મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી : આવતી કાલે ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનો એકીસાથે યોજાશે વિમોચન સમારોહ


SHARE











મોરબી : આવતી કાલે ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનો એકીસાથે યોજાશે વિમોચન સમારોહ

ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાસે ૫૦ થી વધુ કવિ-લેખકોના પુસ્તકોનો વિમોચન સમારોહ

આવતી કાલ તા.૨૨ ને મંગળવારના રોજ ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનું એકી સાથે વિમોચન સમારોહ યોજાનાર છે.તા.૨૨ ના રોજ મોરબીના કવિ લેખક રાજુભાઇ વ્યાસના પુસ્તકનું પણ વિમોચન થવા જઇ રહ્યુ છે.કાર્યક્રમની જાણવા મળતી વિગત મુજબ,સ્વતંત્રતાનાં અમૃતપર્વની અનોખી ઉજવણી કરવા માટે નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશન અને સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ દ્વારા તા.૨૨ ફેબ્રુઆરીનાં રોજ એકીસાથે ૫૦ થી વધુ લેખક અને કવિનાં પુસ્તકોનું વિમોચન કરીને વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યા છે.જેની નોંધ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં થવાની છે.તા.૨૨-૨ ના ઓનલાઈન આયોજીત થનારા આ કાર્યક્રમમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનું વિમોચન થવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ૨ મહિનાનાં ટૂંકા સમયમાં આ પુસ્તકો પ્રકાશિત થઈ વિમોચન થવા જઈ રહ્યા છે જેમાં. વાર્તાઓ, બાળકથા, બાળ કાવ્યો, કવિતાઓ, ગઝલ, પ્રવાસ નિબંધ, સંસ્કૃત સુભાષિતો, આરોગ્યલક્ષી, દેશભક્તિના, નવલકથા વગેરે પ્રકારનાં પુસ્તકોનો સમાવેશ થયો છે.સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અને નેક્ષસ સ્ટોરીઝ પ્રકાશનનો વિમોચન કાર્યક્રમ તારીખ ૨૨-૨-૨૨ નાં ઓનલાઈન રહેશે તથા તેનું જીવંત પ્રસારણ The Reader Sacho YouTube ચેનલ અને નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશનના ફેસબુક પેજ ઉપર નિહાળી શકાશે. મોરબીના જાણીતા કવિલેખક રાજુભાઈ વ્યાસના પુસ્તકને પણ તેમાં સ્થાન મળતા તેમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.






Latest News