મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી : આવતી કાલે ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનો એકીસાથે યોજાશે વિમોચન સમારોહ


SHARE











મોરબી : આવતી કાલે ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનો એકીસાથે યોજાશે વિમોચન સમારોહ

ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાસે ૫૦ થી વધુ કવિ-લેખકોના પુસ્તકોનો વિમોચન સમારોહ

આવતી કાલ તા.૨૨ ને મંગળવારના રોજ ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનું એકી સાથે વિમોચન સમારોહ યોજાનાર છે.તા.૨૨ ના રોજ મોરબીના કવિ લેખક રાજુભાઇ વ્યાસના પુસ્તકનું પણ વિમોચન થવા જઇ રહ્યુ છે.કાર્યક્રમની જાણવા મળતી વિગત મુજબ,સ્વતંત્રતાનાં અમૃતપર્વની અનોખી ઉજવણી કરવા માટે નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશન અને સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ દ્વારા તા.૨૨ ફેબ્રુઆરીનાં રોજ એકીસાથે ૫૦ થી વધુ લેખક અને કવિનાં પુસ્તકોનું વિમોચન કરીને વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યા છે.જેની નોંધ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં થવાની છે.તા.૨૨-૨ ના ઓનલાઈન આયોજીત થનારા આ કાર્યક્રમમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનું વિમોચન થવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ૨ મહિનાનાં ટૂંકા સમયમાં આ પુસ્તકો પ્રકાશિત થઈ વિમોચન થવા જઈ રહ્યા છે જેમાં. વાર્તાઓ, બાળકથા, બાળ કાવ્યો, કવિતાઓ, ગઝલ, પ્રવાસ નિબંધ, સંસ્કૃત સુભાષિતો, આરોગ્યલક્ષી, દેશભક્તિના, નવલકથા વગેરે પ્રકારનાં પુસ્તકોનો સમાવેશ થયો છે.સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અને નેક્ષસ સ્ટોરીઝ પ્રકાશનનો વિમોચન કાર્યક્રમ તારીખ ૨૨-૨-૨૨ નાં ઓનલાઈન રહેશે તથા તેનું જીવંત પ્રસારણ The Reader Sacho YouTube ચેનલ અને નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશનના ફેસબુક પેજ ઉપર નિહાળી શકાશે. મોરબીના જાણીતા કવિલેખક રાજુભાઈ વ્યાસના પુસ્તકને પણ તેમાં સ્થાન મળતા તેમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.






Latest News