મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન


SHARE







મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન

મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત પુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે.ગઈકાલ તા.૨૩-૨ થી શરૂ થયેલ ભાગવત પુરાણ કથા આગામી તા.૧-૩ ને મહાશિવરાત્રી સુધી ચાલશે.કથા દરોજ બપોરે ૨ થી ૫ યોજાશે.જેનો લાભ લેવા માટે આયોજન સમિતિ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજના રોડ ઉપર આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શ્રી ભાગવત પુરાણ કથામાં વ્યાસપીઠેથી મહિલા કથાકાર બાળ વિદુષી માયાકુમારી જોશી (ગુરુ ભાવેશ્વરી માતાજી) કથાનું રસપાન કરાવશે.તા.૨૬-૨ ના રોજ સાંજના પાંચ વાગ્યે નંદ મહોત્સવ, તા.૨૭ ના સાંજે પાંચ વાગ્યે ગિરિરાજ પૂજા, તા.૨૮ ના સાંજે પાંચ વાગ્યે રૂકમણી વિવાહ તેમજ તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ લેશે.તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે કથા વિરામ લેવાની હોય તે દિવસે શિવરાત્રી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે તે દિવસે કથાનો સમય સવારના આઠથી સાડા અગિયાર સુધીનો રહેશે ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે.






Latest News