વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ મોરબીમાં કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા મોરબીમાં દેશી દારૂ ભરેલ રિક્ષા સહિત 88 હજારના મુદામાલ સાથે બે પકડાયા, બે મહિલાની શોધખોળ: બે બોટલ દારૂ સાથે એક પકડાયો-એકની શોધખોળ વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત: મોરબીમાં યુવતીએ ફાંસો ખાઈને જીવા ટૂંકાવ્યું મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન


SHARE













મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન

મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત પુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે.ગઈકાલ તા.૨૩-૨ થી શરૂ થયેલ ભાગવત પુરાણ કથા આગામી તા.૧-૩ ને મહાશિવરાત્રી સુધી ચાલશે.કથા દરોજ બપોરે ૨ થી ૫ યોજાશે.જેનો લાભ લેવા માટે આયોજન સમિતિ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજના રોડ ઉપર આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શ્રી ભાગવત પુરાણ કથામાં વ્યાસપીઠેથી મહિલા કથાકાર બાળ વિદુષી માયાકુમારી જોશી (ગુરુ ભાવેશ્વરી માતાજી) કથાનું રસપાન કરાવશે.તા.૨૬-૨ ના રોજ સાંજના પાંચ વાગ્યે નંદ મહોત્સવ, તા.૨૭ ના સાંજે પાંચ વાગ્યે ગિરિરાજ પૂજા, તા.૨૮ ના સાંજે પાંચ વાગ્યે રૂકમણી વિવાહ તેમજ તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ લેશે.તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે કથા વિરામ લેવાની હોય તે દિવસે શિવરાત્રી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે તે દિવસે કથાનો સમય સવારના આઠથી સાડા અગિયાર સુધીનો રહેશે ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે.






Latest News