મોરબીમાં કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા મોરબીમાં દેશી દારૂ ભરેલ રિક્ષા સહિત 88 હજારના મુદામાલ સાથે બે પકડાયા, બે મહિલાની શોધખોળ: બે બોટલ દારૂ સાથે એક પકડાયો-એકની શોધખોળ વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત: મોરબીમાં યુવતીએ ફાંસો ખાઈને જીવા ટૂંકાવ્યું મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે 2100 લાભાર્થીઓને 3.40 કરોડની સાધન સહાય અર્પણ


SHARE













મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે 2100 લાભાર્થીઓને 3.40 કરોડની સાધન સહાય અર્પણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં આજે મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળા યોજાયો છે જેમા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, સરકારી યોજનાનો લોકોને સીધો લાભ આપવા માટે ગરીબ કલ્યાણ મેળા સરકાર દ્વારા કરવામાં આવે છે.

આજ રોજ ગરીબ કલ્યાણ મેળામાં ધો. ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય, કુંવરબાઇનું મામેરું, માનવ ગરીમા યોજના અંતર્ગત નાના ધંધા કે વ્યવસાય માટે સાધન સહાય તેમજ વિવિધ સાધન સહાય યોજના હેઠળ જિલ્લાના કુલ મળીને 2100 કરતાં વધુ લાભાર્થીઓને આજે 3.40 કરોડ રૂપિયાની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેકટર જે.બી.પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓનું સ્વાગત કર્યુ હતુ આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રીએ લોકોનું સંબોધન કરતા કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ જે લોત કલ્યાણકારી યોજનાઓ છે આ તમામ યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે તેના માટે થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાના આયોજનની શરૂઆત કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાની અંદર ગરીબ કલ્યાણ મેળા યોજીને લાખો-કરોડો લોકોને કરોડો રૂપિયાની સરકારી જુદી જુદી યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે તેવી જ રીતે આજે પણ મોરબી જિલ્લાની અંદર ગરીબ કલ્યાણ મેળામાં જરૂરિયાતમંદ પરિવારો છે તેમને સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ સરકારી સહાય અર્પણ કરવામાં આવી છે તેના થકી તેઓનું જીવન ધોરણ ઉંચુ આવશે અને તેઓ પણ સારી રીતે પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News