મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ


SHARE













યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ

 મોરબીથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા વિદેશ જતાં હોય છે આવી જ રીતે યુક્રેનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે જેમાં વધુ એક વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. અને આ વિદ્યાર્થીની જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ત્યાં રજા જાહેર મોડી કરી હતી અને તે ત્યાંથી આવવા માટે એરપોર્ટ ઉપર જવાના હતા ત્યાર પહેલા જ રશિયાએ એરપોર્ટ ઉપર હુમલો કર્યો હતો જેથી તે ત્યાંથી નીકળી શકેલ નથી.

મોરબીનો કુલદીપ દીપકભાઈ દવે નામનો યુવાન અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો છે અને તે હાલમાં હુમલા વચ્ચે તે ફસાયો ચ તેવી માહિતી ગઇકાલે સામે આવી હતી તેવામાં મોરબીમાં આવેલ મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કૂનપરાની દીકરી શૈલજા કુનપરા યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયેલ છે અને ત્યાં માયકોલાઇવ સિટીમાં આવેલા બ્લેક સી નેશનલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે અને તે હાલમાં છેલ્લા વર્ષમાં છે ત્યારે રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા તે ત્યાં ફસાઈ ગયેલ છે જો કેશૈલજાના કહેવા મુજબ યુક્રેનમાં રશિયન આર્મી છવાઈ ગઈ છે. પરંતુ સિવિલયનને હુમલાનો ડર નથી. પણ હવાઈ હુમલાનું જોખમ સતત રહે છે.

સમસ્ત બ્રહ્મસમાજની માંગ

મોરબીનો વિદ્યાર્થી કુલદીપ દીપકભાઈ દવે અહીથી એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયો છે ને ત્યાં તે ટાર્નોપિલ શહેરમાં ફસાયેલ છે અને હાલમાં ત્યાં યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે તેને મોરબી સુરક્ષિત પાછો લાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કૅયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી દ્વારા ટ્વિટરના માધ્યમથી વહીવટી તંત્ર પાસે માંગણી કરેલ છે.






Latest News