મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કાલીકા પ્લોટમાં સગીરાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના કાલીકા પ્લોટમાં સગીરાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેરના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી આપઘાતના બનાવ બાદ સગીરાના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તાર શેરી નંબર-૪ માં રહેતા રાજુભાઇ મકવાણાની ૧૬ વર્ષની દીકરીના રીનાબેને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી રીનાબેનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. અને પોલીસની પ્રાથમિક તપાસમાં  એવિ વિગત સામે આવેલ છે કે, મૃતક રીનાબેનની માતા બીમાર છે અને ઘરની આર્થિક પરિસ્થિતી ખરાબ હોવાથી તેની ચિંતામાં તેને અંતિમ પગલું ભરી લીધું છે તેવું સામે આવી રહ્યું છે.






Latest News