માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી : આંબાભગત જગ્યા દ્વારા ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ


SHARE

















મોરબી : આંબાભગત જગ્યા દ્વારા ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ

ગરવા ગિરનારની ગોદમાં યોજાયેલ કોરોના કાળ પછીના પહેલા શિવરાત્રીના મેળામાં મોરબી જિલ્લાની સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પની સુવાસ ફેલાવામાં આવી રહી છે. મિનીકુંભથી ખ્યાતનામ અને અનેક અખાડાના મહંત અને સાધુઓ જયાં વાસ કરે છે અને જેનો મહિમા અપરંપાર છે એવી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે રવાડીની ઝાંખી કરવા શ્રદ્ધાળુઓ દ્વારા આગોતરા જગ્યા રોકી લે છે.ત્યારે પાટીદાર સમાજના સંત આંબાભગતની જુનાગઢ ખાતે જાણીતી જગ્યા આવેલી છે જ્યાં હજારો ભાવિકો ઉમટી પડ્યા છે.અહી રહેવા-જમવા સહિતની સુવિધાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ધોડાસરા, ઉપપ્રમુખ શાંતીલાલ સવસાણી, મંત્રી હરીભાઇ છત્રોલા, કાંતીલાલ દલસાણીયા સહિતના સભ્યો અને ભાવિક ભાઈઓ દ્વારા સેવાકાર્યની ધુણી ધખાવવામાં આવેલ છે.




Latest News