મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : મૂંડીયા સ્વામી જગ્યામાં શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતી વિવાહની ધામધૂમથી ઉજવણી થશે


SHARE













મોરબી : મૂંડીયા સ્વામી જગ્યામાં શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતી વિવાહની ધામધૂમથી ઉજવણી થશે

મોરબીના સ્ટેશન રોડ સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ મૂંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.આગામી સમયમાં શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે મોરબીના સ્ટેશન રોડ સુપર ટોકીઝ નજીક આવેલી મૂંઢિયા સ્વામીની જગ્યા નીલકંઠ મહાદેવ મંદિરની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના તથા શિવ-પાર્વતી વિવાહ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે યોગેશભાઈ (મો.99095 41225) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.

માળિયાના રોહિશાળા ગામે મહાશિવરાત્રીના ભવ્ય સંતવાણીનું આયોજન

માળિયા (મિં) તાલુકાના રોહિશાળા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જાગૃત મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આવતીકાલે તા.૧ ના રોજ સમસ્ત રોહિશાળા ગામ દ્વારા જાગૃત મહાદેવના સાનિધ્યમાં રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં ભજનીક અલ્પાબેન રાઠોડ, સાહિત્ય અને હાસ્ય કલાકાર જોરૂભા ડોડીયા દ્વારા સાહિત્યનું રસપાન કરાવવામાં આવશે. આ સંતવાણી કાર્યક્રમમાં સહુ ધર્મ પ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા રોહિશાળા ગામ સમસ્ત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News