મોરબી : મૂંડીયા સ્વામી જગ્યામાં શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતી વિવાહની ધામધૂમથી ઉજવણી થશે
Morbi Today
હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન
SHARE
હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન
‘ हर घर बाल कलाम‘ પ્રોજેકટ અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડો.એ.પી.જે.અબ્દુલ કલામાથી પ્રેરણા લઈ આવતીકાલનાં ઉજ્વળ ભવિષ્ય એવા બાળકોમા છુપાયેલ સર્જનાત્મક શક્તિ બહાર આવે તેવા ઉદ્દાત હેતુ સાથે મોરબી જિલ્લાનાં હળવદમાં તક્ષશિલા સ્કુલ દ્વારા વિશેષ "કલામ રથ" નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ રથ સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે લઈ જવામાં આવશે અને વિવિધ ગામમાં જઈ આ રથ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને જાણકારી આપશે આજે હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતેથી મહાનુભાવોની હાજરીમાં લીલી ઝંડી આપીને આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું









