મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE













મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં આવેલ ઓરડીની અંદર રહેતા મૂળ યુપીના રહેવાસી યુવાને કોઈ કારણોસર પોતાની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરની અંદર અમિતભાઈ પરમારની ઓરડીમાં કાકાના દિકરાની સાથે ભાડે રહેતા પીયૂષભાઈ કોમલસિંગ યાદવ જાતે આહીર (ઉંમર ૧૮) એ પોતાની ઓરડીમાં કોઈ કારણસર દોરડા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને આપઘાતના બનાવની જીતુભાઇ રામજીભાઇ ગોહિલએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News