મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE

















મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં આવેલ ઓરડીની અંદર રહેતા મૂળ યુપીના રહેવાસી યુવાને કોઈ કારણોસર પોતાની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરની અંદર અમિતભાઈ પરમારની ઓરડીમાં કાકાના દિકરાની સાથે ભાડે રહેતા પીયૂષભાઈ કોમલસિંગ યાદવ જાતે આહીર (ઉંમર ૧૮) એ પોતાની ઓરડીમાં કોઈ કારણસર દોરડા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને આપઘાતના બનાવની જીતુભાઇ રામજીભાઇ ગોહિલએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News