મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન ટંકારાના નસીતપર અને હળવદમાં જુગારની જુદીજુદી બે રેડ: 16 શખ્સો 2.24 લાખના મુદામાલ સાથે પકડાયા માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને  સંયમનો માર્ગ અપનાવ્યો


SHARE







હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને  સંયમનો માર્ગ અપનાવ્યો

ઘણા યુવાનો આજની તારીખે સરકારી નોકરી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામના યુવાન જગદીશભાઈ દલવાડીને રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરી મળી હતી અને તે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ પણ બજાવતો હતો જો કે, તેને સંસાર છોડી દીધો છે અને વિધિવત રીતે સંયમના માર્ગે અપનાવ્યો છે ત્યારે સમસ્ત ગ્રામજનોએ તેને વાજતે ગાજતે વિદાય આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, મયુરનગરના રાઘુભાઈ દલવાડીને ત્રણ દીકરા છે જેમના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું બીજા જગદીશભાઈને રેવન્યુ વિભાગમાં કલાર્કની નોકરી મળી હતી જેથી તે વાંકાનેર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી કરતો હતો અને જગદીશભાઇને નાનપણથી જ ભક્તિમાં વધુ રસ હતો ત્યારે તેને સનાતન ધર્મના રસ્તે જવાની પરિવાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેને સંસાર ત્યજી દેતા જગદીશભાઈ હવે જગદીશબાપુ બની ગયેલ છે અને તેમણે પરિવારજનો અને સમસ્ત ગામ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી






Latest News