મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને  સંયમનો માર્ગ અપનાવ્યો


SHARE











હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને  સંયમનો માર્ગ અપનાવ્યો

ઘણા યુવાનો આજની તારીખે સરકારી નોકરી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામના યુવાન જગદીશભાઈ દલવાડીને રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરી મળી હતી અને તે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ પણ બજાવતો હતો જો કે, તેને સંસાર છોડી દીધો છે અને વિધિવત રીતે સંયમના માર્ગે અપનાવ્યો છે ત્યારે સમસ્ત ગ્રામજનોએ તેને વાજતે ગાજતે વિદાય આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, મયુરનગરના રાઘુભાઈ દલવાડીને ત્રણ દીકરા છે જેમના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું બીજા જગદીશભાઈને રેવન્યુ વિભાગમાં કલાર્કની નોકરી મળી હતી જેથી તે વાંકાનેર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી કરતો હતો અને જગદીશભાઇને નાનપણથી જ ભક્તિમાં વધુ રસ હતો ત્યારે તેને સનાતન ધર્મના રસ્તે જવાની પરિવાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેને સંસાર ત્યજી દેતા જગદીશભાઈ હવે જગદીશબાપુ બની ગયેલ છે અને તેમણે પરિવારજનો અને સમસ્ત ગામ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી






Latest News