મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને  સંયમનો માર્ગ અપનાવ્યો


SHARE

















હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને  સંયમનો માર્ગ અપનાવ્યો

ઘણા યુવાનો આજની તારીખે સરકારી નોકરી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામના યુવાન જગદીશભાઈ દલવાડીને રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરી મળી હતી અને તે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ પણ બજાવતો હતો જો કે, તેને સંસાર છોડી દીધો છે અને વિધિવત રીતે સંયમના માર્ગે અપનાવ્યો છે ત્યારે સમસ્ત ગ્રામજનોએ તેને વાજતે ગાજતે વિદાય આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, મયુરનગરના રાઘુભાઈ દલવાડીને ત્રણ દીકરા છે જેમના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું બીજા જગદીશભાઈને રેવન્યુ વિભાગમાં કલાર્કની નોકરી મળી હતી જેથી તે વાંકાનેર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી કરતો હતો અને જગદીશભાઇને નાનપણથી જ ભક્તિમાં વધુ રસ હતો ત્યારે તેને સનાતન ધર્મના રસ્તે જવાની પરિવાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેને સંસાર ત્યજી દેતા જગદીશભાઈ હવે જગદીશબાપુ બની ગયેલ છે અને તેમણે પરિવારજનો અને સમસ્ત ગામ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી




Latest News