હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

હળવદના મયાપુર ગામે ઝેરી દવા પી પરિણીતાએ કર્યો આપઘાત


SHARE















હળવદના મયાપુર ગામે ઝેરી દવા પી પરિણીતાએ કર્યો આપઘાત

હળવદ તાલુકાના મયાપુર ગામે વાડીએ રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા એમપીના પરિવારની પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર આપવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના વાંકાનેરી ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મયાપુર ગામની સીમમાં નાનજીભાઈ શિવાભાઇ દલવાડીની રહેતા અને ખેતરોમાં મજૂરી કામ કરતા રૂપસિંહભાઇ બામણીયાના પત્ની રોમીલાબેન (૨૪)એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની તેઓના પતિએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને હાલમાં આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક પરિણીતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News