મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો

મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ ન્યુ ઓમશાંતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.શાળાના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના દુરઉપયોગ સામે જાગૃત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.શાળા તેમજ કોલેજમાં જતી યુવતીઓના યેનકેન પ્રકારે ફોન નંબર મેળવીને બાદમાં તેની પજવણી કરવામાં આવતી હોય છે માટે આ પ્રકારની જો કોઈ પ્રવૃત્તિઓ થતી હોય તો તે પ્રવૃત્તિઓ અંગે સજાગ રહેવા માટે અને યેનકેન પ્રકારે યુવતીઓના નંબર મેળવીને યુવતીઓની પજવણી કરતા ઇસમોની શાન ઠેકાણે લાવવા માટે આ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો.સેમિનાર દરમ્યાન મોબાઇલમાં જયાં ત્યાં બેલેન્સ રિચાર્જ ન કરાવવા માટે તેમજ તેને લગતી અન્ય બાબતો ધ્યાનમાં રાખવા જેવી વાત કરીને તમારો ફોન નંબર અન્ય કોઈપણ પાસે ન જાય તે પ્રકારની તકેદારી કઈ રીતે રાખવી તે અંગે વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું અને જો તેમ છતાં પણ કોઈ આ પ્રકારની પજવણીની ગેર કાયદેસર પ્રવૃત્તિ જોવા મળે અને હેરાનગતિ હોય તો તાત્કાલિક તે અંગે પરિવારજનોને અથવા તો શાળામાં શિક્ષકોને અથવા તો પોલીસનો રૂબરૂ સંપર્ક કરવામાં આવે તેવી પણ તેઓને માહિતી આપવામાં આવી હતી.આ તકે એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.અવરેનેશ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને લગતી કોઈપણ મુશ્કેલીની તાત્કાલિક પરિવારજન કે પોલીસને જાણ કરવા જણાવાયુ હતુ.






Latest News