મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની પત્નીએ જમીન પચાવી પાડવા માટે દબાણ કર્યું હોવાની કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબીમાં ધારાસભ્યની પત્નીએ જમીન પચાવી પાડવા માટે દબાણ કર્યું હોવાની કલેક્ટરને રજૂઆત

મોરબીના ત્રાજપરના માજી સરપંચ અને ધારાસભ્યના પત્ની દ્વારા માલિકીના પ્લોટમાં પેવર બ્લોક પાથરીને જમીન પચાવી પાડવામાં આવી છે તેવા આક્ષેપ હાલમાં ભોગ બનનાર દ્વારા કરવામાં આવેલ છે અને જિલ્લા કલેકટરને આ મુદે લેખિત રજૂઆત કરવામાં આવી છે. 

મોરબીના ત્રાજપરમાં રહેતા હનુભા લખમણભાઈ, રઘુભાઈ મેરૂભાઈ અને બાબુભાઈ મેરૂભાઈ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી નજીકના ત્રાજપર વિસ્તારની અંદર તેના પિતાને ઘરથાળના જે સરકારમાંથી પ્લોટ ફાળવવામાં આવ્યા હતા તેનો કબજો તેઓની પાસે હતો દરમિયાન મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતમાં જયારે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્ની જસુબેન પરસોત્તમભાઈ સાબરીયા સરપંચ તરીકે આવ્યા હતા ત્યારે તેઓની માલિકીના પ્લોટ ઉપર જાહેર રસ્તો પેવાર બ્લોક પાથરીને બનાવી નાખેલ છે અને તેઓની માલિકીની જમીન પચાવી પાડવાના ઈરાદે આ રસ્તો બનાવવામાં આવ્યો હોય તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે આટલું જ નહીં ધારાસભ્યએ પોતાની વગનો ઉપયોગ કરીને અને સરપંચ તરીકે જ્યારે તેમના પત્ની હતા ત્યારે સરપંચના હોદ્દાનો દુરુપયોગ કરીને હાલમાં આ રસ્તો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને પ્લોટ પચાવી પાડનાર ત્રાજપરના માજી સરપંચ અને ધારાસભ્યના પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવેલ છે.






Latest News