મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

મોરબી નજીકના બેલા(રંગપર) ગામે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ આવેલું છે જ્યાં મૂળ નાયક શ્રી પદ્મપ્રભુ સ્વામીની ૧૫૦ મી સાલગીરા તથા નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં ગત તા.૨૬-૨ થી તા.૨૮-૨ દરમ્યાન ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.જેમાં દૂર દૂરથી શ્રાવિકો-શ્રાવીકાઓ તેમજ ધર્મપ્રેમી અને વતનપ્રેમી લોકો પધાર્યા હતા.લાભાર્થી પરિવારોએ સારો એવો લાભ લઇને શ્રી સંઘ જમણ, નવકારશી અને ચોવિહારનું સુંદર આયોજન કર્યું હતું.ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયેલ પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયજી મહારાજના મુખેથી શાંતિ સ્ત્રોતનું સૌએ શ્રવણ કર્યું હતું અને દરેક લાભાર્થી પરિવારનું ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમ ટ્રસ્ટી મંડળ વતી દિનેશ પી.દોશી દ્વારા યાદીમાં જણાવેલ છે.






Latest News